Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

જીલ્લા-તાલુકા કોંગ્રેસ સમિતિમાં સિનીયર અને વફાદારોને પ્રાધાન્ય આપોઃ ઇકબાલ ગોરી

સાવરકુંડલા તા.૬ : પ્રદેશ કોંગ્રેસ સમિતિ તેમજ જીલ્લા તાલુકો શહેર સમિતિના માળખુ રચવામાં આવે તેમાં સીનીયર કર્મઠ અને કોંગ્રેસના વફાદારો પ્રાધાન્ય આપવુ જોઇએ જેથી કરીને કોંગ્રેસ પક્ષમાં નારાજગીનો માહોલ ઉભો ન થાય તે રીતનો એક પત્ર અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઇકબાલગોરીએ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાને લેખીત રજુઆત કરેલ હતી.

ઇકબાલ ગોરીએ જણાવેલ કે કોંગ્રેસ પાર્ટી આવતા દિવસોમાં જોમ અને જુસ્સા સાથે લડત આપવા કટ્ટીબધ બની છે ત્યારે કોંગ્રેસ પક્ષને વધુ ચેતનવંતી અને સંગઠીત બનાવવા માટે ગુજરાત  પ્રદેશ સમિતિમાં કે જીલ્લા અને તાલુકા તેમજ શહેર સમિતિની રચનામાં ગોતીગોતીને સીનીયર કર્મઠ અને કોંગ્રેસી પાયા અને વર્ષોથી વફાદારી પૂર્વક કોંગ્રેસ માટે ગમે તેવા સમયમાં કોંગ્રેસનું કામ કરે છ.ે તેવા વફાદારને વધુ અને પ્રથમ પ્રાધાન આપવામાં આવે તેથી કોંગ્રેસ પક્ષના નારાજગી જોવા ન મળે કર્મઠ કોંગ્રેસી તેમજ કોંગ્રેસમાં આયાત અને આવડત વગરના વ્યકિતઓને સંગઠન માળખામાં સમાવેશ કરવામાં આવે છેતે તેથી વફાદારને અને જુના કાર્યકરોમાં નારાજગી ઉભી થતી હોય છે કોંગ્રેસમાં રહી કોંગ્રેસને નુકશાન કરતા હોય તેમજ જ્ઞાતિવાદના ધોરણે પસંદગી કરવી જોઇએ નહી શુદ્ધ કોંગ્રેસ કરીને ચુંટણી કે સંગઠનનુ કામ કરીએ ને તો કોંગ્રેસ કયારે નુકશાન થશે નહી કોંગ્રેસનો સીતારો બુલંદ બનાવવા પ્રથમ તો સીનીયર વફાદાર કર્મઠ અને કોંગ્રેસમય કાર્યકરોને સંગઠન માળખામાં અગ્રતા અને પ્રાધાન્ય આપવા અમિતભાઇ ચાવડાને ઇકબાલગોરીએ લેખિત રજુઆત કરેલ હતી.

(1:25 pm IST)