Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સુરેન્દ્રનગરમાં બાટલો ફાટવાના કારણે આગમાં દાઝેલ પુત્રી ઇશરતનું પણ મોત....દાદા પૌત્રી બંનેના મોત લક્ષ્મીપરા વિસ્તાર શોક મગ્ન

વઢવાણ, તા.૬: લક્ષ્મી પરા વિસ્તારમાં ભાડા ના મકાન માં રહેતા અને બે નમ્બર ની શેરી ના કોર્નર ઉપર વસવાટ કરતા નિવૃત્ત રેલ્વે કર્મચારી અબ્દુલ ભાઈના ઘેર બપોરના સમયે અચાનક ગેસ નો બાટલો ફાટ્યો હતો.. ૨ તારીખે બપોર ના સમયે દ્યર માં બાટલો લીક થતા આગ લાગી હતી.ત્યારે આ આગના પગલે ઘર માં રહેલ અબ્દુલ ભાઈ ઉમર વર્ષ ૮૨ અને પૌત્રી ઇશરત ઉમર ૧૫ ખૂબ ગંભીર રીતે દાજયા હતા.ત્યારે બન્ને ને સારવાર માટે અમદાવાદ ખાતે ખેસેડવામાં આવ્યા હતા.ઙ્ગ

ત્યારે ૨ તારીખે બપોર ના સમયે અચાનક ગેસ નો બાટલો ફાટતા આજુ બાજુ ના રાહેવસીઓ માં અફડાતફડી મચી જવા પામી હતી.ત્યારે આ ગેસ નો બાટલો ફાટતા ભાડા ના મકાન માં રહતા અબ્દુલ ભાઈ ના દ્યર માં આગ લાગી હતી.ત્યારે આ આગ લાગવા ના કારણે અબ્દુલ ભાઈ અને તેમની પૌત્રી ઇશરત ગંભીર રીતે દાજયા હતા.

સારવાર અર્થે ખસેડવામાં આવતા અહીં ની હોસ્પિટલમાં થી વધુ પડતી બન્ને ની તબિયત નાજુક હોવા ના કારણે અમદાવાદ ખાતે ખસેડવા માં આવીયા હતા.ત્યારે ગઈ કાલે બપોર ના સમયે અબ્દુલ ભાઈ એ દમ તોડ્યો હતો.ત્યારે ગઈ કાલે રાત્રે ઇશરત ઉમર વર્ષ ૧૫ નું પણ મોત નિપજીયુ હતું..

ત્યારે એક સાથે બાટલો ફાટવા ના બનાવમાં એકજ પરિવારના એક મોભી અને એક બાળકી નું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

(1:24 pm IST)