Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ભાવનગરમાં રેલ્વેના નિવૃત કર્મચારીનો આત્મવિલોપનનો પ્રયાસઃ અટકાયત

ભાવનગર તા. ૬ : અમરેલી જીલ્લાના બાબરા તાલુકામાં કોટડાપીઠા ગામે રહેતા નિવૃત રેલ્વે કર્મચારી નાનજીભાઇ રણછોડભાઇ ચૌહાણ ઉ.૯૭ એ ટોલીમેન તરીકે નોકરી કર્યા બાદ પેન્શન નહિ મળતા અને આ અંગે વારંવાર રજુઆત કરવા છતા કોઇ ઉકેલ નહિ આવતા આજે સવારે ભાવનગર રેલ્વે ડીઆરએમ કચેરી ખાતે શરીર ઉપર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી.

આત્મવિલોપનનો પ્રયાસ કરનાર નિવૃત રેલ્વે કર્મચારીને પરિવારમાં ૪ દિકરા અને ર દિકરીઓ હોવાનું જાણવા મળેલ છે.(

(1:14 pm IST)