Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ઝાલાવાડના વ્હોરા બિરદારોએ પ્રવાસ કર્યોઃ કાલે રાજકોટના બુઝુર્ગ પ્રવાસ કરશે

જસદણ, તા. ૬ : દાઉદી વ્હોરા સમાજ પ૩માં સર્વોચ્ચ ધર્મગુરૂ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિકદર મુફદ્દલ સૈફૂદ્દીન સોહબ (તઉશ) દુનિયાભરમાં વસતા તેમના લાખો અનુયાયીઓ પૈકી જે ૭૦ વર્ષથી વધુ વયના સ્ત્રી પુરૂષો છે તે સિનિયર સીટીઝન્સને એકપણ નયા પૈસાના ખર્ચ વગર પોતાના પૈસે એક દિવસ જે ગામ શહેરમાં રહેતા હોય તેના નજીકના સ્થળે એક દિવસ ચા-નાસ્તા ભોજન અને રમત-ગમત અને મનોરંજન માટે લઇ જવામાં આવે છે.

વઢવાણ બુઝુર્ગ સ્ત્રી પુરૂષને લિંબડી શેખ દાઉદભાઇ સાહેબના મઝાર પર લઇ જવામાં આવેલ ત્યાં લિંબડી જમાતના સેવાભાવીઓએ સમાજના વડીલોને આનંદ કિલ્લોલ કરાવ્યો હતો કાલે ગુરૂવારે રાજકોટના વ્હોરા બુઝુર્ગોને મોટેલ ધ વિલેજ ખાતે લઇ જવાના છે.

(12:04 pm IST)