Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કચ્છ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજતા મુખ્યમંત્રી

વિકાસના કામોમાં ઝડપ લઇ આવીને સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા તાકિદ

ભુજ,તા.૬:મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કચ્છ જિલ્લાના બળદીયા મુકામે જિલ્લાના અધિકારીઓ સાથેની વિવિધ કામોની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે, ફાસ્ટટ્રેક ઉપર કામ કરવાની મારી પધ્ધતિ છે. સરકારી કામમાં વિલંબ પાલવે તેમ નથી. હાલના સમયમાં લોકોને ઝડપી કામ જોઇએ છે. સરકાર ફાસ્ટટ્રેક ઉપર ચાલે છે, ત્યારે સરકારી તંત્રોએ પણ એ મુજબ કામમાં ઝડપ લાવવી ખૂબ જરૂરી છે, તેવી ટકોર કરી હતી.

આજે બળદીયા મુકામે વચનામૃત દ્વિશતાબ્દી અને અબજીબાપા શતામૃત મહોત્સવ પ્રસંગે કચ્છની એક દિવસની મૂલાકાતે આવેલા રાજયનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્મૃતિવન પ્રોજેકટ, નર્મદા કચ્છ બ્રાંચ કેનાલ, ગ્રાસલેન્ડ ડેવલપમેન્ટ, ભુજોડી બ્રીજ ડેવલપમેન્ટ અને શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ પાસેથી કામોની પ્રગતિ બાબતે સમીક્ષા હાથ ધરી પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભુજીયા ડુંગર સ્થિત સ્મૃતિવન પ્રોજેકટની સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ અધિકારીઓએ અત્યાર સુધીમાં રૂ.૧૧૦.૨૫ કરોડનો ખર્ચ સાથે ૭ કામો પ્રગતિ હેઠળ અને ૬ કામો પૂર્ણ થયાં હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુ મેનપાવર સાથે પ્રોજેકટના કામમાં ઝડપ લાવવા નિર્દેશ આપી સુનિશ્યિત સમયમાં કામ પૂર્ણ થવું જોઇએ તે બાબતે મીકેનીઝમ ગોઠવવા આદેશ કર્યા હતા.

ભુજીયાની તળેટીમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા ઉપર તેમજ ડ્રીપ ઇરીગેશનથી વૃક્ષોનો ઉછેર થાય છે કે કેમ તેની પણ પૃચ્છા કરી હતી. શ્રી રૂપાણીએ પ્રોજેકટ સ્થિત સોલાર પ્લાન્ટ અને તેના મેન્ટેનન્સ અંગે પણ જાણવા માગ્યું હતું.

કચ્છ બ્રાંચ કેનાલના કામો તેમજ મોડકુબા સુધી નર્મદા કેનાલના કામોની પ્રગતિની સમીક્ષા કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મોડકુબા સુધી નર્મદા નહેર લાવવા જમીન સંપાદનના ૧૭ કેસોનો ત્વરિત નિકાલ સંદર્ભે ખેડૂતોની સંમિત મેળવવા માટે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિર અને માંડવી-મુંદરા વિભાગના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને જવાબદારી સંભાળવા સાથે કચ્છના હિતમાં ખેડૂતોને સમસજાવી સંમતિ સાધવા અને ગાંધીનગર જરૂર પડે બેઠક કરવા જણાવ્યું હતું.

કચ્છને દ્યાસચારા ક્ષેત્રે સ્વાવલંબી બનાવવાની યોજનાની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છને દ્યાસચારા માટે સ્વાવલંબી બનાવવા વન વિભાગની કામગીરીની પણ વિગતો મેળવી આ ક્ષેત્રે નકકર કામ કરવા ખાસ ભાર મૂકયો હતો. આ ઉપરાંત દ્યાસ સંગ્રહ માટેના ગોડાઉન ઊભાં કરવાના કામોની પણ સમીક્ષા કરી હતી. બન્ની વિસ્તારમાં દ્યાસ-વાવેતર અંગે પણ તેમણે ઊંડો રસ લઇ પડતર જમીનમાં દ્યાસ ઉગાડવા પ્લોટ નકકી કરી જરૂર પડે એક્ષપર્ટને સાથે રાખી સમગ્ર કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. શ્રી રૂપાણીએ નકકર આયોજન સાથેની દરખાસ્ત રજૂ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

ખાસ કરીને ભુજ નજીકના ભુજોડી ઓવરબ્રીજના કામને લઇને થતાં વિલંબ બાબતે પણ તેમણે નારાજગી વ્યકત કરી અધિકારીઓને કામમાં ગતિ લાવવા અને બ્રીજનાં કામમાં રહેલી રૂકાવટો માટે અધિકારીઓને જે કાંઇ મુશ્કેલી હોય તેના નિવારણ માટે બે દિવસ ગાંધીનગરમાં બેઠક કરી મંજૂરી લઇને હવે ઝડપભેર કામ પૂર્ણ કરવા ઉપર વિશેષ ભાર મૂકયો હતો.

શ્રી નરેન્દ્રભાઈ મોદી જીનિવાથી શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિ કળશ લાવીને ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ભારતનું એક માત્ર ક્રાંતિગુરૂના સ્મારકને વધુ ડેવલપ કરવા જે કાંઇ કરવું પડે તે ક્રાંતિના સંદર્ભ નમૂનારૂપ આદર્શ સ્થળ બનાવવા પણ દિશા નિર્દેશ આપ્યો હતો.

આ પ્રસંગે  સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિર, ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, માંડવી-મુંદરા વિભાગના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહજાડેજા, કચ્છ-ભાજપના પૂર્વાધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, જિલ્લા કલેકટર એમ.નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોષી, કચ્છ આઇ.જી.સુભાષભાઈ ત્રિવેદી, પશ્યિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબિયા, પૂર્વ વિભાગના પોલીસ વડાશ્રી પરિક્ષિતા રાઠોડ, ડીઆરડીએ નિયામક એમ.કે.જોષી, નર્મદા વિભાગના શ્રીનિવાસન, સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિતરહ્યાહતા.

(12:02 pm IST)