Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

વાંકાનેરના શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરમાં પૂ. જલારામબાપા - પૂ. રામકિશોરદાસજીબાપુની મૂર્તિની પ્રતિષ્ઠા કરાશે

વાંકાનેર, તા. ૫ :. વાંકાનેરમાં વર્ષો પુરાણુ ઐતિહાસિક પૂ. સિદ્ધ તપોમૂર્તિ શ્રી મુનીબાવાની જગ્યા 'શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર'માં વિશ્વ વંદનીય સંત શિરોમણી પૂજ્યપાદ સંત શ્રી જલારામબાપાનું દિવ્ય મંદિર આવેલુ છે. તેમજ આ જગ્યાના સેવાધારી પૂ. સદગુરૂ દેવ શ્રી રામકિશોરદાસજી મહારાજશ્રીનું પણ દિવ્ય મંદિર આવેલુ છે જે બન્ને મંદિરમાં તાજેતરમાં તા. ૨-૧૧-૧૯ને જલારામ જયંતિના આગલા દિવસે જ પૂ. વંદનીય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની દિવ્ય મૂર્તિ ખંડિત કરેલ તેમજ અમારા ગુરૂદેવ પૂ. પાદ સંત શ્રી રામકિશોરદાસજી મહારાજશ્રીની મૂર્તિ ખંડિત થયેલ પરંતુ નિજ-મંદિરમાં હાલ બન્ને મૂર્તિની નિત્ય પૂજા - આરતી ચાલુ જ રહેશે અને જેમ બને તેમ આવી જ આરસની દિવ્ય મૂર્તિ સંત શિરોમણી શ્રી જલારામબાપાની મૂર્તિ હતી તેવી જ ફરી બનાવાશે. તેમજ પૂ. સદગુરૂદેવશ્રી રામકિશોરદાસજી મહારાજશ્રીના મૂર્તિ બનાવાશે અને ફરી રંગચંગે શાસ્ત્રોકવિધિથી જેવી રીતે અગાઉ પ્રાણ પ્રતિષ્ઠા થયેલ તેવી જ રીતે પુનઃ બન્ને મૂર્તિની પ્રતિષ્ઠા મૂર્તિ બન્યા બાદ કરવામાં આવશે તેમ શ્રી ફળેશ્વર મહાદેવ સેવા મંદિર સમિતીના શ્રી પટેલબાપુ તથા હિતેશભાઈ રાચ્છની યાદીમાં જણાવાયુ છે.

(12:00 pm IST)