Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

રાણપુરના મોટીવાવડીમાં વિંછીના ડંખથી ૧૧ વર્ષની તેજલનું મોત

રાજકોટ તા. ૬: બોટાદના રાણપુર તાબેના મોટીવાવડી ગામે રહેતાં દેવીપૂજક ભૂપતભાઇ જીલીયાની દિકરી તેજલ (ઉ.વ.૧૧)ને તા.૪ના રોજ વાડીએ હતી ત્યારે વિંછીએ ડંખ મારતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાવી આજે વહેલી સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ કાગળો કર્યા હતાં. મૃતક છઠ્ઠા ધોરણમાં ભણતી હતી અને છ બહેનમાં મોટી હતી. તેના પિતા ખેત મજૂરી કરે છે.

(11:58 am IST)