Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સદગત માધવજીભાઇ સુતરિયાના પરિવાર જનોને સાધુ સંતો સહિત અઢારે આલમે સાત્વના પાઠવી

દામનગર,તા.૬: લાઠી તાલુકા ના જાહેર જીવનના અજવાળુ સ્વ માધવજીભાઈ સુતરિયાને ગુજરાત ભરના સાધુ સંતો મંત્રી ઓ ધારા સભ્ય સાંસદ શ્રી ઓ અને અઢારે આલમની પુષ્પાજંલી લાઠી તાલુકાના દહીંથરા ખાતે સામાજિક અગ્રણી સંતપ્રેમી માધવજીભાઈ સુતરિયા પરિવાર ને સાંત્વના પાઠવવા સાધુ સંતો દરેક સમાજ ના અગ્રણી ઓ ઉદ્યોગ રત્નો આમ નાગરિક થી લઈ તવંગરોના અઢારે આલમ ની સદગત સ્વ માધવજીભાઈ સુતરિયાના દેહાંવસાન થી સદગત ના પરિવાર જનો ને સાંત્વના પાઠવી હતી.

જૂનાગઢ ગીરનારી આશ્રમ ના પૂજય ભારતીબાપુ વિદ્વાન ભાગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે માનવ મંદિર મહંત પૂજય ભકિતરામબાપુ પૂજય વિવેચક શ્રી વામનબાપુ ગઢડા સ્વામી નારાયણ મંદિરના સંતો દામનગર ગુરુકુલના સ્વામી આનંદસ્વરૂપદાસ હરિહરનંદભારતી ભવનાથ આશ્રમના મહંત શ્રી દલપતગિરી ડાયમંડ કિંગ ઓશિયા જેમ્સ ના પ્રકાશભાઈ ગાંધી મુંબઈ સવાની ગ્રુપના મોભી શ્રી વલ્લભભાઈ સવાણી પ્રકાશભાઈ જાદવાણી મનોજભાઈ જોબનપુત્રા સરસ્વતી સ્ટુડિયો જૂનાગઢ મુસ્લિમ અગ્રણી રાજા કોટન ઇકબાલભાઈ ડેરેંયા દાઉદી વ્હોરા સમાજ સોરઠીયા ધોબી સમાજ દશાશ્રી જેન મહાજન મંડળ શ્રી સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ તાલુકા કલ્યાણ મંડળ દામનગર ડાયમંડ એશો શ્રી મણીભાઈ પુસ્તકાલય ટ્રસ્ટ ખેત ઉત્પાદન બજાર માલધારી સમાજ બ્રહ્મસમાજ સ્ટોન ઇન્ડસ્ટ્રીઝ મિલ જિન એશો દામનગર ચેમ્બર ઓફ કોમર્સ મેદરડા શ્રીજી એજયુકેશન ટ્રસ્ટના મનોદિવ્યાંગો રદ્યુવંશી સમાજ લુહાર સુથાર સમાજ દલિત અને વાલ્મિકી સમાજ

સમસ્ત લેઉવા પટેલ સમાજ પરમાર્થ સેવા મિશન ટ્રસ્ટ પરમધામ સેવા સમિતિ અનસૂયા ક્ષુધા સેવા ટ્રસ્ટ સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભગવાન મહાવીર સ્વામી જેન પાંજરાપોળ મહિલા સતસંગ મંડળો શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને ચેરીટેબલ ટ્રસ્ટ ડોકટર એશો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પત્રકાર સંધ સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ લાઠી ગ્રાહક સુરક્ષા મંડળ જીવદયા પરિવાર ટ્રસ્ટ નંદીશાળા જય ભુરખિયા જળ અભિયાન સમિતિ શહેર ભર ની શેક્ષણિક સંસ્થા ઓ દામનગર નાગરિક શરાફી મંડળી

અલખઘણી ગૌસેવા ટ્રસ્ટ દસનામ ગોસ્વામી મહામંડળ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ જનક્ષત્રિય મોચી સમાજ બ્રહ્મક્ષત્રિય ખત્રી સમાજ ઇસ્માઇલી ખોજા જમાત ઠાકોર કોળી સમાજ રાજપૂત ક્ષત્રિય સમાજ રાવળજોગી સમાજ સોની સમાજ ઋષિવંશી સમાજ વિવિધ સંગઠનો એ ભારે રડતા હદયે મહા માનવ ને પુષ્પાજંલી આપી હતી હજારો ને રડાવી જનાર સ્વ માધવજીભાઈ સુતરિયા ના દેહાંવસાન થી ચાલીસ ગ્રામ્ય અને ત્રણ શહેરી વિસ્તારમાં ગમગીની પ્રસરાવી દીધી રડતા હદયે સાંત્વના પાઠવતા અનેકો મહાનુભવો એ સજળ નેત્રે આપી શ્રધ્ધાંજલિ.

(11:53 am IST)