Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

માણાવદરમાં પૂ.જલારામ બાપાની રર૦મી જન્‍મ જયંતિની ભાવભેર ઉજવણી

માણાવદર : માણાવદરમાં પૂ. જલારામ બાપાની રર૦મી જન્‍મ જયંતિ ખૂબ ધામધુમ પૂર્વક ઉજવવામાં આવી હતી. શનિવારે રાત્રીના દાંડીયારાસ, અલ્‍પાહાર, ત્‍યાર બાદ તા. ૩ રવિવારે વહેલી સવારે પૂ. બાપાની પૂજા વિધી, અન્નકુટ, બટુક ભોજન, ભવ્‍ય શોભાયાત્રા, સંધ્‍યા આરતી, મહાપ્રસાદ, ધુન ભજન અને રાત્રીના ૧ર વાગ્‍યે મહાઆરતી યોજાયેલ. વિશાળ શોભાયાત્રામાં મોટી સંખ્‍યામાં રઘુવંશી યુવાનો સાફા સાથે અને બુટલેટ ચાલકોએ જય જલીયાણના નાદ સાથે આકર્ષણ જગાવ્‍યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી જલારામ સેવા ટ્રસ્‍ટના તમામ સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી. તે પ્રસંગની વિવિધ તસ્‍વીરો (તસ્‍વીરઃ પ્રશાંત રૂપારેલીયા-માણાવદર)

 

(10:46 am IST)