Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

મોરારીબાપુ દ્વારા પ્રવિણભાઈ દૂધરેજિયાનું સન્માન

રાજકોટઃ રામકથા માનસ ત્રિભુવન પૂજય મોરારીબાપુ દ્વારા સાધુ સમાજના પ્રમુખ શ્રી વિષ્ણુબાપુ દેસાણી (નિવૃત પી.આઈ.), પ્રવિણભાઈ દૂધરેજિયાનું રામનામી આપી વ્યાસપીઠ પરથી સન્માન કરવામાં આવેલ. કથા દરમ્યાન આરતીમાં કાર્તિકભાઈ દૂધરેજિયા, પૂ.જયુબાપુ રંગપુર મહંત, પૂ.વસંતદાસબાપુ (અખેગઢ),  કાંતિભાઈ ભટ્ટ, ભાવનગરથી આંખે પાટા બાંધી સ્કુટર પર આવેલ અને વિશ્વરેકર્ડ કરનાર જય ત્રિવેદી વિગેરેએ પૂ.બાપુની કથા શ્રાવણનો લાભ લીધેલ. તેમ આદિત્યબાપુ દૂધરેજિયાની એક યાદી જણાવે છે.

(3:32 pm IST)