Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ગારીયાધારના મોરવા ગામે ૧૦મીથી શ્રીમદ્દ ભાગવત કથા

સમગ્ર ઘેલાણી પરીવાર આયોજીત ભાગવત કથામાં જ્ઞાનનું ઝરણું વહેશે

ગારીયાધાર તા.૬: તાલુકાના મોરવા ગામે શ્રી રોકડીયા હનુમાનજી આશ્રમ ખાતે આગામી તા. ૧૦-૧૧-૧૮થી ભકિતમય વાતાવરણમાં શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે.

રોકડીયા હનુમાનજી આશ્રમ મોરવા ખાતે યોજાનારી સમસ્ત ઘેલાણી પરીવાર આયોજીત કથામાં શાસ્ત્રી વ્યાસ ભગીરથભાઇ ભાગવતનું રસપાન કરાવશે. જેમાં પોથીયાત્રા, રામ જન્મ, કૃષ્ણ-જન્મ, રૂકમણી વિવાહ જેવા પાવન પ્રસંગોની ઝાંખી કરાવાશે.

જયારે દરરોજ કથા શ્રવણ કરનારાઓ માટે કથા સ્થળે ભકિત સાથે ભોજનનો પણ લહાવો આપવામાં આવશે. જે ભગીરથ કાર્યને પરીપૂર્ણ કરવા સમગ્ર ગ્રામજનો ભારે જહેમત ઉઠાવી રહયા છે.

(11:29 am IST)