Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સંકલ્‍પ ગ્રૂપ ઓફ અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા દશેરા નિમિત્તે પરેશ ધાનાણીની આગેવાનીમાં ઝૂંપડપટ્ટીમાં મીઠાઈનું વિતરણ

અમરેલીઃ તહેવાર જેમ અમીરો ઉજવે છે તેજ રીતે ગરીબો કેમ ન ઉજવે તેવા શુભ વિચાર અને સેવા કાર્યો થી થઈ રહ્યા છે  સંકલ્‍પ ગ્રૂપ ઓફ અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા અમરેલી શહેરની  ઝૂંપડપટ્ટીમાં રહેવા ગરીબ માણસો ને દશેરાના તહેવાર નિમિતે મીઠાઈ વિતરણ કરવામાં આવેલ હતું કોંગ્રેસ પરિવાર સંકલ્‍પ ગ્રૂપ ઓફ અમરેલીની આ સુંદર અને પ્રસંશનીય કામગીરીથી ગરીબ ઝૂંપડપટીધારકોમાં ભારે ઉત્‍સાહ જોવા મળેલ  અને અમરેલી શહેરની જનતા માં આ સેવા કાર્યોની ભારો ભાર  પ્રસંશા થવા લાગી છે. સેવાના કાર્યો પરેશભાઈ ધાનાણી અને અમરેલી મહિલા કૉંગ્રેસ પ્રમુખ મીનાબેન સોડાગરની આગેવાની માં સંકલ્‍પ ગ્રૂપ ઓફ કોંગ્રેસના સભ્‍ય હાજર રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ)

(1:51 pm IST)