Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

સુરેન્દ્રનગરમાં ભુગર્ભ ગટરના ગંદા પાણીનો નિકાલ નદીમાં : મચ્છરોનો ઉપદ્રવ

વઢવાણ તા.૬ : સુરેન્દ્રનગર શહેરમાં ભુગર્ભ ગટરો નાખવાની કામગીરી કરવામાં આવી કરોડો રૂ. ભુગર્ભ ગટરોની પાછળ સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવ્યા. આમ છતા પણ સુરેન્દ્રનગર - વઢવાણ, જોરાવરનગર, શહેરના શહેરી લોકોની સ્થિતિ પરિસ્થિતિ એની એ જ રહી છે. સુરેન્દ્રનગર શહેરમાં ભુગર્ભ ગટરોના પાણી નદીમાં જ ઠલવાઇ રહ્યા છે. જેના કારણે મચ્છરોનો મોટાપાયે ઉપદ્રવ થઇ રહ્યો છે. લોકોમાં માંદગી પણ ઘર કરી રહી છે. સુરેન્દ્રનગર વઢવાણ, જોરાવરનગર શહેરમાં ડેન્ગ્યુ, સ્વાઇનફલુ, મેલેરીયા, કમળો જેવા અનેક પ્રકારના રોગોમાં શહેરીજનો સપડાયા છે.(૪૫.૬)

(12:03 pm IST)