Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જુનાગઢના દામોદર કુંડમાં ગણપતિ વિસર્જન વેળાએ ડૂબી જતાં દોલતપરાના 12 વર્ષના બાળકનું કરૂણમોત

 

જુનાગઢમાં ગણપતિ વિસર્જન વેળાએ 12 વર્ષનો એક બાળક દામોદર કુંડમાં ડુબી જતાં ઉત્સવનો માહોલ દુઃખમાં ફેરવાયો હતો

  દામોદર કુંડમાં ડુબી જનારો બાળક મયુર લક્ષ્મણભાઈ ગોસ્વામી શહેરના દોલતપરાનો રહેવાસી હતો. ગણપતિ વિસર્જન દરમિયાન બાળકનો કોઈ કારણસર કુંડમાં પડી ગયો હતો અને પાણીમાં ખેંચાઈ ગયો હતો. બાળકને પાણીમાં પડતો જોતાં સ્થાનિક લોકો કુદી પડ્યા હતા અને બાળકને બચાવ્યો હતો. જોકે, વધુ પડતું પાણી પી જવાના કારણે બાળકનું મોત થઈ ગયું હતું. લોકોએ બાળકને બહાર કાઢીને બચાવવાનો ખુબ પ્રયાસ કર્યો પરંતુ તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું

બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

(10:50 pm IST)