Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જુનાગઢ સરકડિયા હનુમાનની જગ્યા પાસે સિંહ પરિવારે રસ્તા ઉપર ધામા નાખ્યા

જુનાગઢઃ ગિરનારની ઉતર રેન્જના સરકડિયા હનુમાનની જગ્યા પાસે જંગલમાં કોટાના થાનાથી આગળ સિંહ પરીવાર રસ્તા વચ્ચે આવીને બેસી જતા સરકાડિયા હનુમાનના દર્શને જતા ભાવિકોએ સિંહોના પરીવારના દુર્લભ દર્શન કર્યા હતા ગિરનાર જંગલમાં ભારે વરસાદના કારણે સિંહો રસ્તા અને ખુલ્લા મેદાનમાં રેવાનુ પસંદ કરતા હોય છે. જંગલમાં  મચ્છર ના ત્રાસથી બચવા સિંહો રસ્તા ઉપર આવી ચડયા હતા અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો ઉપરોકત તસ્વીરમાં સરકડીયાના માર્ગ ઉપર સિંહ પરીવાર આરામ ફરમાવી રહેલો નજરે પડે છે.(અહેવાલ-વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:16 pm IST)