Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

લીંબડીના અંકેવાડીયામાં જીજ્ઞાબા પરમારનું ઝાડા-ઉલ્‍ટી થયા બાદ મોત

મોતનું ચોક્કસ કારણ જાણવા રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ

રાજકોટ તા. ૬: લીંબડીના અંકેવાડીયા ગામમાં રહેતાં જીજ્ઞાબા પ્રદિપસિંહ પરમાર (ઉ.૨૫) નામના પરિણીતાને પરમ દિવસે ઝાડા-ઉલ્‍ટી થયા બાદ તબિયત બગડતાં લીંબડી અને ત્‍યાંથી સુરેન્‍દ્રનગર હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

સુરેન્‍દ્રનગર હોસ્‍પિટલના તબિબોએ મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ લઇ જવાનું કહેતાં મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો. મૃત્‍યુ પામનાર જીજ્ઞાબાના માવતર ચુડા તાબેના બલાળા ગામે રહે છે. તેણીના લન દોઢ વર્ષ પહેલા થયા હતાં. પતિ પ્રદિપસિંહ ખેતી કરી ગુજરાન ચલાવે છે. ઝાડા-ઉલ્‍ટી બાદ તબિયત બગડતાં લીંબડી સરકારી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સુરેન્‍દ્રનગર સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધાનું સ્‍વજનોએ કહ્યું હતું. પી.એમ. રિપોર્ટ બાદ લીંબડી પોલીસ આગળ તપાસ કરશે.

(11:20 am IST)