Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

વાંકાનેરના સરતાનપર ગામ નજીક કોહવાયેલી લાશ મળી : તપાસનો ધમધમાટ

 વાંકાનેર, તા. ૬ : વાંકાનેર ઢુવા સરતાનપર રોડ પર કમાન્ડર સિરામીક નજીક કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસને ફોન દ્વારા માહીતી મળી હતી કે સરતાનપર રોડ પાસે ખુણામાં માનવ લાશ પડેલ છે જે અંગે તાલુકા પી.એસ.આઇ. જી.આર. ગઢવી તથા સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ લાશની સ્થિતિ જોતા માનવ લાશ કોહવાયેલી અને વિકૃત સ્થિતિમાં હોય જે લાશનો કબ્જો લઇ વાંકાનેર સરકારી હોસ્પિટલે લઇ આવતા ફરજ પરના ડોકટરોએ લાશને ફોરેન્સીક તપાસ માટે તાત્કાલીક રાજકોટ રવાના કરેલ.

ફોરેન્સીક રીપોર્ટ આવ્યા બાદ ખૂન, અકસ્માત કે આપઘાત બનાવ છે કે કેમ ? તે જાણી આગળની કાર્યવાહી હાથ ધરાશે.

પોલીસે મૃતક વ્યકિતની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. મૃતકના વાલીવારસોને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નંબર ૦ર૮ર૮ ર૬૦૬૬પ પર જાણ કરવા જણાવાયું છે.

(11:45 am IST)