Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

જામનગરમાં યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર

જામનગર :ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગમાય ગુજરાત અભિયાન માં રાજય ના બધાજ જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં યોગશિક્ષક તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી ઘર ઘર સુધી યોગ પહોંચે અને લોકો એક તંદુરસ્ત જીવનશૈલી અપનાવે આ તબક્કે જામનગર જિલ્લા માં ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ ટ્રેનર તાલીમ શિબિર માં જામનગર જિલ્લા યોગ કોચ રાજેશ્રીબેન પટેલ કે જેઓ ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી સાથે પણ સંકળાયેલ છે તેમના દ્વારા ૭૦ જેટલા ભવિષ્ય ના યોગ શિક્ષકો ને (યોગ ટ્રેનર) તાલીમ આપવામાં આવી હતી અને જેને અનુલક્ષી ને યોગ ટ્રેનરોના પ્રમાણપત્ર વિતરનનો કાર્યક્રમ ક્રિષ્ના કાઠ્યાવાડી હોટેલ જામનગર બાયપાસ રોડ પર યોજાયો હતો  આ પ્રસંગે મેયર બિનાબેન કોઠારી, ગાર્ડન કમિટી ના ચેરપર્સન અને કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ, વરિષ્ઠ પત્રકાર જગતભાઈ રાવલ, ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને રાધિકા સ્કૂલ ના ચેરમેન ભરતેશભાઈ શાહ, વેદગર્ભ સંસ્કાર નિષ્ણાંત ડો. કરિશ્માબેન નરવાણી અને લાયન્સ કલબના અમરજીતભાઈ આહલુવાલિયાએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી તથા યોગ શિક્ષક કિરણબેન, સોનલબેન, રાજુલબેન, કોમલબેનના સહયોગથી તથા હેમાદ્રીબેન માંકડની એંકરિંગ સ્પીચ તથા ક્રિષ્ના કાઠિયાવાડી હોટેલના સાથ સહકારથી આ કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો. આ તબક્કે જામનગર જિલ્લા માં યોગ પ્રવૃતિ ને વેગ આપવા બદલ લાયન્સ કલબ ઈસ્ટ દ્વારા જિલ્લા યોગ કોચ રાજેશ્રીબેન પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું.

(12:55 pm IST)