Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ભેસાણના છોડવડીની એસબીઆઇના કેશિયર સામે રૂ. ૬.૬૯ લાખની ઉચાપતની ફરિયાદ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૬ : ભેસાણના છોડવડી ખાતેની એસબીઆઇ બ્રાંચના કેશિયર સામે રૂ. ૬.૬૯ લાખની ઉચાપતની ફરિયાદ થઇ છે.

જૂનાગઢના ઓમનગરમાં રહેતા હર્ષદ જયંતીલાલ જોશી જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાંચમાં કેશિયર તરીકે ફરજ બજાવતા હતા.

હર્ષદ જોશીએ ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ કેશીયર તરીકે જાહેર બેંકરની ફરજ દરમિયાન રૂ. ૬,૬૯,૯૮૯ની કેશની ઉચાપત કરી બેંક સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

તેમજ કેશીયર હર્ષદભાઇએ ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ઉચાપતની રકમ બેંકમાં જમા કરાવી ટેમપરરી ઉચાપત કર્યાનું ધ્યાન પર આવતા બેંક અધિકારી રાહુલ સૈનીએ ગત રાત્રે ભેસાણ પોલીસમાં હર્ષદ જોશી સામે ફરિયાદ નોંધાવી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઇ. એ.ડી.વાળા ચલાવી રહ્યા છે.

(12:50 pm IST)