Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ઇતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમીએ પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરે નહીં થાય દર્શન : તા,10થી 14 સુધી બંધ રહેશે

આ વખતે તેમણે ઓનલાઇન દર્શન કરીને સંતોષ માનવો પડશે.

દ્વારકા : કોરોના વાયરસ હવે ભક્ત અને ભગવાન વચ્ચે મોટો વિલન બન્યો છે. આ વખતે કોરોનાના જોખમને ધ્યાનમાં રાખતા તંત્ર દ્વારા જન્માષ્ટીએ ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશનું જગતમંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દ્રારકાધીશનું મંદિર આગામી 10થી 14 ઓગસ્ટ સુધી બંધ રહેશે. નોંધનિય છે કે કૃષ્ણ જન્મોત્સવને આડે હવે એક સપ્તાહનો સમય બાકી છે ત્યારે તંત્રના આ નિર્ણયથી ભક્તો દ્વારકાધીશના દર્શન કરી શકશે નહીં. દર વર્ષ હજારો ભક્તો જન્માષ્ટમીની રાત્રે દ્વારકાધીશના દર્શનના કરતા હોય છે. આ વખતે તેમણે ઓનલાઇન દર્શન કરીને સંતોષ માનવો પડશે.
 

(8:58 pm IST)