Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુર પૂ. જલારામબાપા મંદિર ૧૨ દિવસ કોરોનાના કારણે બંધ : ગાદિપતિ પૂ. રઘુરામબાપા

જેતપુર તા. ૬ : હાલ વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર દિવસે દિવસે વધતો જાય છે. વિરપુર યાત્રાધામમાં પણ કોરોના પોઝિટિવ કેસો નોંધાવા લાગ્યા હોય આગામી દિવસોમાં તહેવારો શરૂ થવાના હોય અને આ દિવસો દરમિયાન યાત્રિકો પૂ. જલારામ બાપાના દર્શને આવે અને કોરોના સંક્રમણ વધે માટે વિરપુર મંદિરના ગાદિપતિ શ્રી રઘુરામ બાપાએ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા આગામી તા. ૮-૮-૨૦ થી તા. ૨૦-૮-૨૦ એટલે કે ૧૨ દિવસ સુધી દર્શનાર્થીઓ માટે જલારામ બાપાનું મંદિર બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરી છે. જેથી પૂ. જલારામ બાપાના ભકતોએ દર્શનાર્થે ન આવવા અપીલ કરી હતી.(

(1:15 pm IST)