Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

સુરેન્દ્રનગરઃ કોરોના પોઝીટીવ ૩ દર્દીઓને રજા અપાઇ

સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની યાદીમાં જણાવ્યા પ્રમાણે  શાંતિલાલ રતિલાલ રાજદેવ અને હર્ષીદાબેન શાંતિલાલ તેમજ  અરજણભાઈ મેરૂભાઈ ઠાકોરને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ.તેમની સઘન સારવાર બાદ ત્રણેય દર્દીઓને તાવ,ઙ્ગશરદી,ઙ્ગખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૫ ના રોજ કોવિડ હોસ્પિટલમાંથી રજા આપી છે.

(11:37 am IST)