Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમાતા રૈયાભાઇ રાઠોડ

વઢવાણ,તા. ૬: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટીમાંથી અને યુવા કાર્યકરો દ્વારા નવા જિલ્લા પ્રમુખની વરણી થાય તેવી માંગ ઉઠવા પામી હતી ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા પીઢ અને વર્ષો જૂના કોંગ્રેસી કાર્યકર અને રાજપૂત સમાજના આગેવાન રૈયા ભાઈ રાઠોડ કેટલાક વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા જ રહ્યા છે અને ચડતી પડતીના સમયમાં પણ પોતે કોંગ્રેસી રહ્યા હોવાના કારણે હાલમાં તેમને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે વરણી આપવામાં આવતા કોંગ્રેસમાં યુવાનો તેમજ જુના કોંગ્રેસી કાર્યકરોમાં ભારે ખૂશીની લહેર છવાઇ જવા પામી છે.

ખેડૂત આગેવાન મોહનભાઇ પટેલ તેમજ કનુભા પરમાર તેમજ પ્રહલાદસિંહ તેમજ શહેરના અને કોંગ્રેસી કાર્યકરો દ્વારા વરણીને આવકારી અને ખુશી વ્યકત કરવામાં આવી છે.

(11:36 am IST)