Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

અમરેલીઃ અકસ્માત મૃત્યુના કેસમાં પપ લાખ ૮૨ હજારનું વળતર મંજુર

અમરેલી તા.૬: કોડીનાર તાલુકાના કડોદરા ગામના ગુજરનાર દીપુભાઇ માલાભાઇ પરમાર તેનું મોટર સાયકલ લઇને જતા હતા ત્યારે ટ્રક નં.જીજે-૧૦-એકસ-૫૩૮૨થી અકસ્માત થતા તેનું મૃત્યુ નીપજેલ હતું જેનું વળતર મળવાની અરજી તેના વારસ પત્ની લીલાબેન દીપુભાઇ પરમારે કોડીનાર એડીશ્નલ ડિસ્ટ્રીકટ કોર્ટમાં કરેલ. જે કોડીનારના એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ શ્રી એન.એલ.દવેએ મંજુર કરી મરનારના વારસોને રૂ.૫૫,૮૨,૦૦૦ પંચાવન લાખ બ્યાંશી હજાર પુરા અરજીની તારીખથી ૯૦ ટકાના વ્યાજ તથા ખર્ચ સાથે ઇફકો ટોકીયો વિમા કાુ.એ ચુકવી આપવા તેવો હુકમ કરેલ છે.

આ કામે મરનારના વારસો તર્ફે અમરેલીના એડવોકેટ એમ.જે.સૈયદ રોકાયેલા હતા.

(11:53 am IST)