Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

નિરંકારી મિશનમાં પૂ. માતા સવિન્દર હરદેવજી બ્રહ્મલીન : બુધવારે દિલ્હીમાં અંતિમવિધિ

જામનગર : નિરંકારી મિશનના માતા પૂજય સવિન્દર હરદેવજી બ્રહ્મલીન થતા ઘેરો શોક છવાયો છે. નિરંકારી મિશનના સ્થાનીય સંયોજક શ્રી રાજપાલકજીએ જણાવ્યું કે, સંત નિરંકારી મિશન ના સ્થાનીય સંયોજક શ્રી મનહરલાલ રાજપાલ જી એ દુઃખદ જાણકારી આપતા જણાવ્યું કે 'પૂજય માતા સવિન્દર હરદેવ જી મહારાજ જે સંત નિરંકારી મિશન ના આધ્યાત્મિક પ્રમુખ ના રૂપ માં ૧૩ મે ૨૦૧૬ થી ૧૬ જુલાઈ ૨૦૧૮ સુધી રહ્યા. ગત રોજ તેઓ બ્રહ્મલીન થયા. તેઓ ૬૧ વર્ષના હતા. તેઓએ ૫ ઓગષ્ટ ના રોજ સાંજે ૫.૦૫ વાગ્યે પોતાના નિવાસે સંત નિરંકારી સત્સંગ ભવન , નિરંકારી કોલોની દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધો.'

પૂજય માતાજી ના પાર્થિવ શરીર મિશન ના અનુયાયીઓ ના અંતિમ દર્શનો માટે સમાગમ ગ્રાઉન્ડ નંબર ૮ માં રાખવામાં આવેલ છે.અંતિમ દર્શન બુધવાર ૮ ઓગષ્ટ ૨૦૧૮ સુધી અવિરતપણે રહેશે. અંતિમયાત્રા બુધવાર સવારે ૯ વાગ્યે ગ્રાઉન્ડ નંબર ૮ થી પ્રારંભ થશે અને અંતિમ સંસ્કાર બપોરે ૧૨ વાગ્યે સી.એન.જી.દાહગ્રુહ , નિગમ બોધ ઘાટ દિલ્હી માં કરવામાં આવશે.પૂજય માતા સવિન્દર હરદેવ જી ની શિક્ષાઓ તથા તેમના જીવન થી પ્રેરણા લેવા હેતુ એક વિશેષ સત્સંગ તેજ દિવસેઙ્ગ ૮ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ સાંજે ૪ વાગ્યે નિરંકારી સરોવરનાઙ્ગ સામેના મેદાન માં બુરાડી રોડ દિલ્હીમાં થશે.

(12:11 pm IST)