Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ભાવનગરમાં બેકારી-આર્થિક ભીંસથી કંટાળીને ચેતન મકવાણાનો આપઘાત

ભાવનગર તા. ૬ :.. ભાવનગરમાં બેકારીથી કંટાળી યુવાને ટ્રેન તળે પડતું મુકી  આત્મહત્યા વ્હોરી લીધી હતી.

મળતી વિગતો મુજબ ભાવનગરનાં વરતેજ માં રહેતાં ચેતનભાઇ મનસુખભાઇ મકવાણા ઉ.ર૧ છેલ્લા ઘણા સમયથી કોઇ નોકરી-ધંધો કરતો ન હોય બેકારીથી આર્થિક ભીંસથી  કંટાળી જઇ સુરેન્દ્રનગર થી ભાનવગર આવતી ટ્રેન ભાવનગરનાં નારી ગામ પાસે પહોંચતા ટ્રેન તળે પડતું મુકી આપઘાત વ્હોરી લીધો હતો. આ બનાવ અંગે વરેતજ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

એસીડ પી જતાં મહિલાનું મોત

ઉમરાળા તાલુકાનાં ચોગઠ ગામે રહેતી ભાવનાબેન મનજીભાઇ ગોહેલ ઉ.પ૦ એ તેનાં ઘેર એસીડ પી લેતાં ભાવનગરની સરકારી સર ટી. હોસ્પીટલમાં તેનું મોત નિપજયુ હતું. (પ-૧પ)

(12:11 pm IST)