Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક કાર ચાલકનું અંતરિયાળ મૃત્યુ

કલ્યાણપુરના ભોગાત ગામના કાનાભાઈ માંડણભાઈ સુવા નામના કારચાલકનું કરૂણમોત

 ધ્રોલ : જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક જાયવા ગામના પાટીયા પાસે બે કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, અને એક કારનાચાલકનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નિપજ્યું છે. જે મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે, કે જામનગર જિલ્લાના ધ્રોળમાં ગજાનંદ સોસાયટીમાં રહેતા અને હોટલ નો વ્યવસાય કરતા હિતેશભાઈ મનસુખભાઈ ભોજાણી (૩૬) કે જેઓ ગઈકાલે મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં પોતાની કાર લઈને જામનગર-રાજકોટ હાઇવે રોડ પર જાયવા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
 જે દરમિયાન પાછળથી પુરપાટ વેગે આવી રહેલી જીજે -૧૦ સી.જી. ૭૪૪૭ નંબરની કારના ચાલકે ધડાકાભેર ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.
 જે અકસ્માતમાં પાછળથી કાર લઈને આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના કાનાભાઈ માંડણભાઈ સુવા નામના કારચાલકનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
 આ અકસ્માતના બનાવ અંગે આગળ જઈ રહેલી કારનાચાલક હિતેશભાઈ ભોજાણીએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ મોડી રાત્રે ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી, પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.( સંજય ડાંગર દ્વારા )

 

(11:37 pm IST)