Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

તને સંતાન કેમ થતુ નથી... સાસરીયાઓએ મેણા મારતા મોરબીની પરણિતાનો આપઘાત

વર્ષાબેનને આપઘાત માટે મજબુર કરનાર પતિ અને સાસરીયા સામે ગુન્હો નોંધાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૬: મોરબીના ખત્રીવાડમાં સાસરિયાઓએ અવારનવાર ઘર કામ બાબતે તેમજ લગ્નના ચારેક વર્ષ થયા હોવા છતાં બાળક કેમ થતું નથી તેમ કહીને મેણા ટોણા મારી શારીરિક માનસિક દુખ ત્રાસ આપી પરિણીતાને મારવા મજબુર કરતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની ફરિયાદ મૃતક પરિણીતાના પિતા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે.

મોરબીના નહેરુ ગેટ નજીક પખાલી શેરીમાં રહેતા સુરેશભાઈ ભીમજીભાઈ ચાવડા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી જમાઈ પ્રકાશભાઈ ગીરીશભાઈ ચૌહાણ  એ દીકરી વર્ષાના પતિ તથા આરોપી જેઠ યોગેશભાઈ ગીરીશભાઈ ચૌહાણ, સાસુ કલાવતીબેન ગીરીશભાઈ ચૌહાણ અને જેઠાણી અવની યોગેશભાઈ ચૌહાણ એ મરણ જનાર વર્ષાબેનને અવારનવાર ઘર કામ બાબતે તેમજ લગ્ન થયાના ચારેક વર્ષ થયા હોવા છતાં તને બાળક કેમ થતું નથી તેવા મેણા ટોણા મારી જેમ ફાવે તેમ બોલી શારીરિક માનસિક દુખ ત્રાસ આપી ફરિયાદીની દીકરીને મારવા માટે મજબુર કરતા મરણજનાર વર્ષાબેને જાતે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની ફરિયાદ નોંધવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:58 pm IST)