Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

બોટાદના બરવાળા ગામે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત : અરેરાટી

(વિજય વસાણી દ્વારા) આટકોટ : બોટાદના બરવાળા ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી (૧) હર્ષદ મગનભાઈ ચાવડા (ઉ.વ.૩૦) રહે.બરવાળા અને (૨) પ્રકાશ વાલજીભાઈ પરમાર (ઉ.વ.૨૮) આ બંને યુવાનોના મોત નિપજ્‍યા હતા. આ બંને યુવાનો બરવાળાની સીમમાં આવેલ. મુંગલપર ખાતે ગઈરાત્રે મેલડી માતાજીના મંદિરે દર્શને ગયા હતા. ત્‍યાંથી પરત ફરતી વખતે નર્મદા કેનાલમાં અકસ્‍માતે કે અન્‍ય કોઈ કારણસર પડી ગયા હતા અને ડૂબી જવાથી બંનેના મોત નિપજ્‍યા હતા. બરવાળા પોલીસને ઘટનાની જાણ થતા તાત્‍કાલીક ઘટનાસ્‍થળે પહોંચી અને યુવાનોના મૃતદેહ શોધવા કાર્યવાહી હાથ ધરેલ : જેમાં ૧ યુવાનનો મૃતદેહ ગતરાત્રે ૧૨:૩૦ વાગ્‍યે અને બીજા યુવાનનો મૃતદેહ આજે સવારે હાથ આવ્‍યો હતો

(6:20 pm IST)