Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

જામજોધપુરમાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા વિવિધ મુદ્દે આવેદન

જામજોધપુરઃ અહીયા મધ્યાહન ભોજન યોજના યુનિયન-તાલુકા દ્વારા માનદ્ વેતન વધારવા, જરૂરી પુરવઠો ઉપલબ્ધ કરાવવા સહિતના વિવિધ પ્રશ્નો મુદ્દે મામલતદાર શ્રી કલાસવાને આવેદનપત્ર પાઠવી સત્વરે યોગ્ય નિવેડો લેવામાં નહિ આવે તો ૧૦ દિવસ પછી નાછૂટકે મધ્યાહન કેન્દ્રોને તાળા મારી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એવી ઉગ્ર ચિમકી ઉચ્ચારાઇ છે.. તસ્વીરમાં રજૂઆત કરતા તાલુકા મધ્યાહન ભોજન યોજના યુનિયનના પ્રમુખ પરબતભાઇ નંદાણીયા, અને સંચાલકો, રસોયા, મદદનીશ દર્શાય છે (તસ્વીર-અહેવાલઃ અશોક ઠકરાર, જામજોધપુર) (૨૮.૪)

(11:56 am IST)