Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ગવરીદળ પાસે અજાણ્યા વાહનની ઠોકરે ઘવાયેલા જસમતભાઇ હાડાનું મોત

રાજકોટ તા.૬: કુવાડવા રોડ ગવરીદળ પાસે પાંચ દિવસ પહેલા અજાણ્યા વાહનની ઠોકરે ઘવાયેલા આઘેડનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગતો મુજબ ગવરીદળ ગામમાં રહેતા, જસમતભાઇ સવજીભાઇ હાડા (ઉ.વ.૫૦) ગત તા. ૨/૭ના રોજ પોતે ચાલીને જતા હતા ત્યારે આઇઓસી પ્લાન્ટ પાસે કોઇ અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટે લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મૃતક બે ભાઇમાં નાના હતા. આ અંગે કુવાડવા રોડ પોલીસમથકના પીએસઆઇ પી.સી. મોલીયા તથા રાઇટર હમીરભાઇ આહીરે ગવરીદળમાં રહેતા સરપંચ અમીતભાઇ જનકભાઇ ચાવડાની ફરીયાદ પરથી અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

(11:51 am IST)