Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સુરેન્દ્રનગરમાં સેવાભાવી તબિબોનું અભિવાદન

વઢવાણ : સુરેન્દ્રનગરમાં નિરાધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ડોકટર ડે નિમિતે ૨૧ ડોકટર્સનું શાલ ઓઢાડી શુભેચ્છા પત્રથી જે તે જગ્યાએ નિવાસસ્થાને કલીનીક ખાતે જઇ અભિવાદન કરાયુ હતુ. માનવ જયોત મુંબઇના સૌજન્યથી યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાપક રાજેશ રાવલ, આનંદ રાવલ, કૌશલ રાવલ, અજયસિંહ ઝાલા જોડાયા હતા. અત્રે નોંધનીય છે કે, પ્રેકટીસ, ઓર્થો સર્જન, ફિઝીશ્યન, સર્જન, ડેન્ટીસ્ટ ક્ષેત્રે બહુમુલ્ય સેવા આપનાર તબીબોને સન્માનીત કરાયા હતા. તે પ્રસંગની તસ્વીર.

(11:49 am IST)