Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

નારસિંહભાઇ પઢીયારને શ્રધ્ધાસુમન અર્પણ કરતાં કર્ણાટકનાં ગવર્નરશ્રી વજુભાઇ વાળા

કુરીવાજોને તિલાંજલી આપવાનાં હિમાયતી અને કુશળ સંગઠક નારસિંહભાઇનાં નિધનથી સમાજને ના પુરી શકાય તેવી ખોટ

જૂનાગઢ :જૂનાગઢનાં સમાજ જીવનમાં છેવાડાનાં વ્યક્તિ સુધી પોતાની અમી લાગણીનાં સ્પંદનો અંકીત કરનાર શ્રધ્ધેય નારસિંહભાઇ પઢીયારનું દેહાવસાન થતાં આજે અક્ષર મંદિર સભાખંડ ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં જૂનાગઢનાં તમામ વર્ગોમાંથી આગેવાનો, સમાજજીવનનાં જ્યાં પણ સંસ્મરણો, લાગણીભર્યા વ્યવહારો પહોંચ્યા છે તે સઘળા લોકો પ્રાર્થનાસભામાં નારસિંહભાઇનાં પરિવારજનોને શાંત્વના બક્ષવા અને પૂષ્પાંજલી અર્પણ કરવા પધાર્યા હતા.

  આ પ્રસંગે કર્ણાટકથી ખાસ પધારી રાજ્યપાલ વજુભાઇ વાળાએ સ્વ. નારસિંહભાઇને ભાવાંજલી અર્પણ કરતાં જણાવ્યુ હતુ કે નારસિંહભાઇ હમેંશા સાદગીના હીમાયતી રહ્યા હતા. તેઓ સમાજમાં પ્રવર્તતી કુરીવાજોની પ્રથાને તિલાંજલી આપે તેવો સમાજ બને તેવી ઈચ્છા ધરાવતા હતા. શ્રી વાળાએ તેમનાં રાજકીય જીવનની પ્રગતીમાં શ્રીનારસિંહભાઇ પઢીયાર અને સુર્યકાંતભાઇ જેવા સમાજહિતનાં કાર્યો કરનાર ભેખધારીનો યશસ્વી ફાળો હોવાની વાત કરી હતી. પ્રાર્થના સભામાં શ્રી વાળાએ નારસિંહભાઇ પઢીયારનાં નિધનથી તેમનાં પરિવારજનોને શાંત્વનાં બક્ષી નારસિંહભાઇને ભાવાંજલી અર્પણ કરી હતી.

(11:09 pm IST)