Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

દસાડાના પાનવામાં શ્રવણનો સળગી જઇ આપઘાતઃ પ્રેમપ્રકરણ કારણભુત?

ઠાકોર યુવાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૬: સુરેન્દ્રનગરના દસાડા તાબેના પાનવા ગામે રહેતાં શ્રવણકુમાર આબુભાઇ રાઠોડ (ઉ.વ.૨૧) નામના ઠાકોર યુવાને ૩૦મીએ કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું રાત્રીના મોત નિપજ્યું છે.શ્રવણકુમાર બે ભાઇમાં નાનો હતો અને કંપનીમાં કામ કરતો હતો. તેના પિતા ખેત મજુરી કરી ગુજરાન ચલાવે છે. શ્રવણકુમારના સ્વજનોના કહેવા મુજબ તેને એક યુવતિ સાથે પ્રેમસંબંધ હતો. જેમાં નિષ્ફળતા મળતાં તે આઘાતમાં આવી ગયો હતો અને આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી હતી.

(1:26 pm IST)