Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

પોરબંદરના વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો

૩ કલાક સુધી વીજ પુરવઠો ઠપ્પઃ લોકો કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયાં

પોરબંદર તા.૬ : વાઘેશ્વરી પ્લોટ સર્કલ પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થયાં સળગી ઉઠેલ અને આ વિસ્તારમં ૩ કલાક વીજ પુરવઠો ઠપ્પ થઇ જતાં કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતાં.

રાત્રીના ૧ર.૩૦ પછી વીજ ટ્રાન્સફોર્મરમાં વીજલોડ વધી જવાથી ધડાકો  થતાં આ ર વીજ વાયરો તુટીને નીચે પડયાં હતાં. સદભાગ્યે ટ્રાવીજ ટ્રાન્સફોર્મર પાસે કોઇ વ્યકિતઓ હોય નહીં જાન હાની થઇ નથી. વીજ તંત્રને ફરિયાદ કર્યા બાદ ૩ કલાકે વીજ પુરવઠો પૂર્વવત થયો હતો.

(1:23 pm IST)