Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

તળાજા ધારાસભ્ય રાતથી કોંગ્રેસ આગેવાનોની નજરમાં

પાર્ટીના આદેશને લઇ હાલ અમદાવાદ જઇ રહ્યો છું: કનુભાઇ બારૈયા

ભાવનગર,તા.૬: ભાવનગાર જિલ્લાના એકમાત્ર તળાજા બેઠકના કોંગ્રેસ ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા ને રાત્રીના સમયે પક્ષનું તેંડુ આવતા અમદાવાદ દોડી ગયા હતા. કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય એ ધારાસભ્ય પદ પરથી રાજીનામું ધરી દીધા બાદ કોંગ્રેસ ઓચિંતાજ એકશન મોડમાં આવી હોય કનુભાઈ બારૈયા ને નઝર સમક્ષ રાખવા માટે પક્ષ ્દરારા પગુલં ભરવામાં આવ્યું છે.

રાજયસભાની ચૂંટણી જાહેર થતાંજ ફરી રાજયમાં કોંગ્રેસના ધારાસભ્ય ના રાજીનામા પડવા લાગ્યા છે.કોંગ્રેસ નો આક્ષેપ છેકે ભાજપ તડ જોડ ની નીતિ અપનાવી રહયુ છે.ધારાસભ્ય ને ખરીદવામાં આવેછે. બીજી તરફ કોંગ્રેસ એકશન મોડમાં આવ્યૂ હોય તેમ ઝોન વાઇઝ ધારાસભ્યો નેઙ્ગ એક સાથે રહેવા કહી શકયકે નઝરબંધ કરવા માં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર ના ધારાસભ્યો ને રાજકોટ ઇન્દ્રનીલ રાજયગુરુ ના રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા છે.ત્યારે ભાવનગર સૌરાષ્ટ્ર નું જ એક ભાગ હોવા છતાંયઙ્ગ તેઓને અમદાવાદ બોલાવવામાં આવ્યા છે.

કનુભાઈ બારૈયા એ મોબાઇલ પર વાત કરતા જણાવ્યું હતુંકે પાર્ટી તરફ થી અમદાવાદ પહોંચવાનું કહેતા તેઓ રાત્રી દરમિયાન અમદાવાદ જઇ રહ્યા હોવાનંુઙ્ગ અને પોતાની સાથેઙ્ગ કેશુભાઈ ની ભાજપ સરકાર માં વાહન વ્યવહાર મંત્રી રહ્યા અને હાલ કોંગ્રેસ સાથે જોડાયેલ બિમલ શાહ પણ ગાડીમાં સાથે હોવાનં જણાવ્યું હતું.પાર્ટી જયાં કહેશે ત્યાં પોતે જવા તૈયાર હોવાનંુ જણાવ્યું હતું.આમ હવે રાજયસભાના મતદાન બાદ કોંગ્રેસના મોવડીઓ ની નઝર સમક્ષ કનુભાઈ રહશે.

(1:19 pm IST)