Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સગીરા ઉપરના દુષ્કર્મના કેસમાં ધોરાજી કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી નામંજૂર

ધોરાજી,તા.૬:પોકસોના કેસમાં આરોપી આનંદભાઈ શાંતિભાઈ માકડીયાની જામીન અરજી ધોરાજી કોર્ટ રદ કરી હતી.

બનાવ મુજબ આરોપી આનંદભાઈ શાંતિભાઈ માકડીયા એ તેમના પારિવારિક ભાણેજ સાથે દુષ્કૃત્ય આચર્યું હતું અને આ દુષ્કૃત્યને લઈને તેમની ઉપર ગુનો નોંધી ધરપકડ કરવાના આવેલી હતી. જે અંગેની જામીન અરજી ધોરાજીના સ્પેશ્યલ જજ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવે સમક્ષ ચાલેલી અને આ ઓનલાઇન હિયરિંગ થયેલું ઓનલાઇનમાં આરોપી તરફે રજૂઆત કરવામાં આવેલી કે બનાવ સમયે ભોગ બનનારે અલગ જગ્યાએ હતા અને જયારે ગુન્હો નોંધવામાં આવેલ છે ત્યારે ભોગ બનનાર સગીરાએ નથી તથા પારિવારિક મિલકત નો લાભ લેવા માટે આ ખોટી ફરિયાદ ઊભી કરવામાં આવેલી છે.

આ વખતે સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે બનાવ વખતે ભોગ બનનાર સગીર વયના છે તેથી આ આખું પ્રકરણ પોકસો એકટ હેઠળ જ ચાલે અને વિશેષમાં આરોપી અને ભોગ બનનાર વચ્ચે માસા અને ભાણેજ જેવા સંબંધ હોય આરોપીને જામીન ઉપર છોડવામાં આવે તો તે તપાસને વિપરીત દિશામાં લઈ જાય તેમ છે આરોપી તરફથી એક જે સોગંદનામું રજૂ કરવામાં આવેલું હતું તેને પણ સરકારી વકીલ તરફથી ન સ્વીકારવા અને આરોપી જેલમાં બેઠા બેઠા પણ તપાસને ગૂંચવાડાભરી કરી રહ્યા હોવાનો આક્ષેપ કરેલ.

આ તમામ સંજોગો અને દલીલો ધ્યાને લઇ સ્પેશિયલ પોકસો જજ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવેએ કરાવેલ હતું કે દલીલમાં મિલકતના વારસાઈ પ્રશ્નોની તકરાર લેવામાં આવેલી છે પરંતુ તે મતલબનો કોઈ દસ્તાવેજી પુરાવો નથી અને મિલકત માટે કોઈ પોતાની દીકરીની આબરુ અંગેની ખોટી ફરિયાદ કરે તેવું હાલના તબક્કે માની શકાય નહિ આ બધી હકીકતો ને ધ્યાને લઇ અને સ્પેશિયલ જજ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવેએ આરોપીની જામીન અરજી રદ કરી હતી.

(11:48 am IST)