Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ભાવનગરમાં એક ૧૨ વર્ષીય દર્દી કોરોનામુકત થયો

હવે જિલ્લામાં નોંધાયેલા ૧૩૩ કેસોની સામે હાલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર, તા.૬: ભાવનગર જિલ્લામાઙ્ગ ૩ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૩૩ થવા પામી છે. ગારીયાધારના મોટા ચરોડિયા ગામ ખાતે રહેતા ૩૭ વર્ષીય હિતેશ ઘોહાભાઈ બરવાળીયા તેમજ ભાવનગરના આનંદનગર ખાતે રહેતા ૨૦ વર્ષીય હાર્દિક ગિર્ધનભાઈ સોલંકી તથા ૨૩ વર્ષીય કપિલભાઈ ગિર્ધનભાઈ સોલંકીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિતેશ બરવાળીયા સુરતથી ભાવનગર આવેલ હતા. જયારે હાર્દિક ગિર્ધનભાઈ સોલંકી તથા કપિલભાઈ ગિર્ધનભાઈ સોલંકી અગાઉ પોઝીટીવ આવેલ દર્દીના કલોઝ કોન્ટેકટમા આવ્યા હતા. જેમને તાવ અને કફ જેવા લક્ષણો જણાતા તેમનો રીપોર્ટ કરવામા આવતા તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

જયારે આજરોજ એક કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૨૬ મે ના રોજ હાથબ ગામ ખાતે રહેતા ૧૨ વર્ષીય આકાશભાઈ પ્રવિણભાઈ ધાપાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.ઙ્ગ

ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીની આરોગ્ય ચકાસણી કરતા અને તે માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.ઙ્ગ

આમ જિલ્લામા નોંધાયેલા ૧૩૩ કેસ પૈકી હાલ ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૧૦૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૧૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:48 am IST)