Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

કચ્છમાં પરણિત પ્રેમી પંખીડાનો આપઘાત

ભૂજ, તા. ૬ :. કચ્છના ભચાઉ તાલુકાના જંગી ગામની આહિર પરણિતા અને લલીયાણા ગામના આહિર પરણિત યુવકે સજોડે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કચ્છના ભચાઉ તાલુકાના જંગી ગામના ભાવના રણછોડભાઈ આહિર (ઉ.વ. ૨૦) અને લલીયાણા ગામના રણછોડ કાનાભાઈ આહિર (ઉ.વ. ૨૫)એ લલીયાણા ગામની વાડીમાં વૃક્ષની ડાળી સાથે લટકીને ગળેફાંસો ખાઈ લીધો હતો.

પોલીસના જણાવ્યા મુજબ મૃતક રણછોડ આહિર એક દિકરોનો બાપ હતો જ્યારે ભાવના આહિરના ગત વર્ષે લગ્ન થયા હતા. બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોવાથી બન્નેએ આત્મહત્યા કરી લીધી હતી.

(4:38 pm IST)