Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

સાવરકુંડલા સંસ્કાર મંદિરના કમ્પાઉન્ડમાં આગ લાગતા દોડધામ

આગેવાનની સતર્કતાથી આગ ઉપર તુરત કાબુ મેળવાયો

સાવરકુંડલ, તા. ૬ : સાવરકુંડલાના સંસ્કાર મંદિર પાસે ગઇકાલે બપોરના સમયે સંસ્કાર મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ જાડી-જાખરામાં કોઇ કારણસર આગ લાગી હતી.

બરાબર તે સમયે જ ત્યાંથી જાગૃત નાગરિક અને અમરેલી જીલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી રાજુભાઇ શિંગાળા પસાર થતાં તેમણે તુરત જ નગરપાલિકામાં જાણ કરી ફાયર ફાયટર બોલાવી લેતા આગ વધુ પ્રસરે તે પહેલા જ બુઝાવી નાખવામાં આવી હતી. આગ બુઝાવવામાં નગરપાલિકા ફાયર સ્ટાફ ડ્રાઇવર જયરાજભાઇ ખુમાણ ફાયરમેન અજયભાઇ ખુમાણ, વિનુભાઇ મહેતા જહેમત ઉઠાવી હતી.

(1:58 pm IST)