Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

જામજોધપુરના સડોદરમાં શ્રી ફુલનાથ મહાદેવ મંદિરે શ્રીરામદેવજી મહારાજનો બાર પોરો પાઠ ઉત્સવ

સડોદર તા.૬ : જામજોધપુર તાલુકાના સડોદરમાં આવેલ શ્રી ફુલનાથ મહાદેવ મંદિરે તા. ૨૯ થી તા.૬ જૂન સુધી શ્રી રામદેવજી મહારાજનો બાર પોરો પાઠ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે.

યોગી શ્રી ધનસુખનાથજી બાપુ, ગુરૂશ્રી નેમીનાથજી બાપુ, મહંત શ્રી સુંદરનાથજી બાપુ, ગુરૂશ્રી ઘનસુખનાથજી બાપુ, ગાદિપતી પ્રભુદાસ, જાનકીદાસ સરપદડીયા (બુટાવદર)ના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે.

જેમાં તા.૨૯-પ-૧૯ને બુધવારે કુંભ સ્થાપન થયુ ત્યારબાદ તા.પ-૬-૧૯ને બુધવારે સંતોના સામૈયા, જયોતિ પ્રાકટય કરાયુ હતુ અને આજે ગુરૂવારે રાત્રે છેલ્લા પહોરે પુર્ણાહુતી કરવામાં આવશે.

બાર પહોરાપાટના કોટવાળ મેરામણભાઇ નાથાભાઇ કંડોરીયા (બુટાવદર), નારણભાઇ કરશનભાઇ બરાઇ (બુટાવદર), દ્વારપાળ કોટવાળ ઉકાભાઇ અરશીભાઇ વામરીટીયા, રામદેભાઇ નાથાભાઇ ડાંગર (નરમાણા) રહેશે.

ગઇકાલે સંતવાણીની રમઝટ બોલ્યા બાદ આજે ગુરૂવારે રાત્રે પણ સંતવાણીની રંગત જામશે.

ભાવિકોને લાભ લેવા શ્રી ફૂલનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી સુંદરનાથજી ગુરૂ મહંતશ્રી ધનસુખનાથજી તેમજ શ્રી ફુલનાથ મહાદેવ સેવકગણ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે.

(12:02 pm IST)