Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

પૂજય જલાબાપાના દર્શન કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાઃ વીરપુર સહકારી મંડળી દ્વારા સન્માન

રાજકોટ : કેન્દ્રની મોદી સરકારમાં સ્વતંત્ર હવાલા સાથે બીજી વખત મંત્રી બનેલા શ્રી મનસુખ માંડવીયા ગઇકાલે રાજકોટ જિલ્લાના પ્રવાસે હતાં. તેમણે વીરપુર ખાતે મંદિરમાં પૂજય જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વીરપુર જૂથ સેવા સહકારી મંડળી દ્વારા મંડળીના કાર્યાલયમાં પ્રમુખ ગોરધનભાઇ ધામેલીયાની આગેવાનીમાં મંત્રીશ્રીનું સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે પોરબંદરના સાંસદ રમેશ ધડુક, જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખિયા, મહામંત્રી ભાનુભાઇ મેતા, જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ સુભાષ બાંભરોલિયા, મહામંત્રી વેલજીભાઇ સરવૈયા, ગોંડલ તાલુકા પ્રમુખ શશીકાંત રૈયાણી, ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શીંગાળા, ડીરેકટર પ્રફુલભાઇ ટોળિયા, યુવા અગ્રણી પ્રશાંત કોરાટ, વીરપુરના અગ્રણીઓ જનકભાઇ ડોબરીયા, અજય વઘાસીયા, રાજૂભાઇ બારૈયા, હરિભાઇ વેકરીયા, ચંદુભાઇ રૈયાણી, પરસોતમભાઇ રાંક, ઉકાભાઇ મોરબીયા, પરસોતમ સોરઠીયા, રવજીભાઇ ગાજીપરા, રમેશભાઇ સરવૈયા, બાબુભાઇ ગાજીપરા, જયંતીભાઇ સરવૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(11:54 am IST)