Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ઉનામાં ૯૯ વરસ જૂના સ્વામીનારાયણ મંદિરે કેસર કેરીનો આમ્ર ઉત્સવ ઉજવાયો

અહીં ૯૯ વર્ષ જૂના સ્વામીનારાયણ મંદિરે કેસર કરી આમ્ર ઉત્સવ ઉજવાયો હતો. શેઠ વાડામાં ૯૯ વરસ જુનું સ્વામી નારાયણ મંદિર કે જયાં શ્રીજી મહારાજે પુજા કરેલ ત્યાં શતાબ્દિ મહોત્સવ નિમિતે કોઠારી શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ હરિભકતો એ આપેલ કેસર કેરીનો અન્નકુટ ભગવાન લક્ષ્મી નારાયણ દેવ ઘનશ્યામ મહારાજ લાલજી મહારાજને ધરી આમ્ર (કેરી) ઉત્સવ ઉજવતાં સેંકડો હરિ ભકતોએ સવારથી સાંજ સુધી દર્શન કરી ધન્ય બન્યા હતાં.

(11:49 am IST)