Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ખોડલધામ કાગવડ તેમજ વીરપુર જલારામધામના દર્શને કેન્દ્રીય રાજયમંત્રી મનસુખભાઇ માંડવીયા

વિરપુર(જલારામ): કેન્દ્રીય રાજયમંત્રી શીપિંગ (સ્વતંત્ર પ્રભાર),કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ પ્રધાન મનસુખભાઇ માંડવીયાએ ખોડલધામ ખાતેમાં ખોડલને તેમજ વીરપુર જલારામધામમાં પૂજય જલારામ બાપાને શીશ જુકાવી આશીર્વાદ લીધા હતા, કેન્દ્રીય રાજયમંત્રી મનસુખભાઈએ જણાવ્યું હતુ કેમાં ખોડલના આશીર્વાદથી સંસદમાં મંત્રીપદે સ્થાન મળતા ખોડલધામ ખાતેમાં ખોડલના અને વીરપુર જલારામ બાપાના દર્શન કરવા આવ્યો છુ,ખોડલધામ કાગવડ ખાતે કેન્દ્રીય રાજયમંત્રી મનસુખભાઈ માંડવીયા સાથે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક તથા કથાકાર ચિત્રલેખાદીદી સાથે ડી.કે સખીયો તથા જુનાગઢના ભાજપ અગ્રહી પ્રદિપભાઇ ખીમાણીએ ખોડિયાર માતાજી તેમજ જલારામ બાપાના દર્શન કર્યા હતા, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મનસુખભાઇનું ભવ્ય સ્વાગત કર્યું હતું તો સાથે સાથે વીરપુર જલારામમાં ભાજપના કાર્યકરોએ કેન્દ્રીય રાજયમંત્રી મનસુખભાઇનું તેમજ સાંસદ રમેશભાઈ ધડુકનું ઢોલ વગાડીને સ્વાગત કર્યું હતું.(તસવીર અહેવાલઃ કિશન મોરબીયા વીરપુર)

(11:48 am IST)