Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સૌરાષ્ટ્રભરમાં વ્હોરા ધર્મગુરૂના જન્મદિવસની કેક કાપી ઉજવણી

જસદણ તા.૬: જસદણ સહિત સૌરાષ્ટ્રભરમાં મંગળવારની સાંજે દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઇ (સર્વોચ્ય ધર્મગુરૂ)ડો.સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્લભાઇ સાહેબ ''સૈફૂદીન'' (ત.ઉ.શ)ને પોતાની જીવનયાત્રાને ૭૪ વર્ષ પૂર્ણ થયા અને ૭૫ વર્ષમાં પ્રવેશ કર્યો તે બદલ સૌરાષ્ટ્રભરના વ્હોરા સમુદાયના વસવાટવાળા ગામેગામમાં પોતાના અનુયાયીઓ દ્વારા જન્મદિવસની કેક કાપી ડો.સૈયદના પ્રતિનિધિ શેખ મનસુરભાઇ સાહેબ સુરતવાળાના હસ્તે  કેક કાપવામાં આવી હતી. આમ વ્હોરા સમાજમાં જેનો પડ્યો બોલ ઝીલાય છે તેવા માનવતાવાદી ધર્મગુરૂના જન્મદિવસમાં વ્હોરા બિરાદરો હોશભેર જોડાયા હતા.

(3:52 pm IST)