Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

પોરબંદરે મુખ્ય સ્વામિનારાયણ મંદિર ત્રિદિવસીય જ્ઞાનયજ્ઞ

પોરબંદર તા.૬: મુખ્ય સ્વામિનારાયણ મંદિરે ત્રિદિવસીય જ્ઞાનયજ્ઞ તા.૮,૯ અને ૧૦ દરરોજ સાંજે ૭ થી ૧૦કરવામાં આવ્યુ છે વડતાલ મંદિરના પૂર્વ કોઠારી સ્વામિ અને હાલ જેતપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતી  શાસ્ત્રીશ્રી નીલકંઠ ચરણ દાસજી કથાના મુખ્ય વકતા તરીકે અધિક માસ નિમિતે ભાવિકોને કથા લાભ આપશે.

જ્ઞાનયજ્ઞ માંગણ હોય હરીશ ટોકીજ સામે રાખેલ છે પોથીયાત્રા સ્વામિનારાયણ મંદિરેથી તા.૭મીએ સાંજે ૫ વાગ્યે નીકળશે.

કથા આયોજન માટે વિપુલભાઇ ઠકરાર, નટુભાઇ કાચા, ઋષિક દવે, પકુભાઇ રાઠોડ ન્યુ સ્વામીનારાયણ મહિલા મંડળ જહેમત ઉઠાવી રહેલછે કથા પ્રસંગેહરીપ્રકાશ સ્વામી જામજોધપુરના રાધારમણ સ્વામી ઉપલેટા મહિલા મંડળના સાંખયોગીજી બહેન નીલાક્ષબહેન, વૈષ્ણવ સપ્રદાયના પૂ.વસંતકુમાર મહાદેવ, ગોવિન્દ નિકેતનના જયવલ્લભલાલજી વગેરે ઉપસ્થિત રહેશે.(૪.૬)

(12:34 pm IST)