Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ટંકારાના લજાઇ પાસે ચાંચાપરના અમીત ભાલોડીયાનો ઝેરી દવા પી આપઘાત

ટંકારા તા. ૬ :.. ટંકારાના લજાઇ ગામ પાસે ચાંચાપરના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

મળતી વિગતો મુજબ  ટંકારા તાલુકાના લજાઇ ગામે આવેલ. ભીમનાથ મહાદેવ મંદિર નજીક યુવાનનો મૃતદેહ પડયો હોવાની ટંકારા પોલીસને જાણ થતા પોલીસ સ્ટાફ તથા ૧૦૮ ટીમના ઇકબાલભાઇ તથા રાજૂભાઇની ટીમ બનાવતા સ્થળે દોડી ગયેલ હતાં.

મૃતકના ખીસ્સામાંથી ડ્રાઇવીંગ લાયસન્સ મળી આવેલ તેના ઉપરથી અમિત મનસુખભાઇ ભાલોડીયા, ગામ ચાંચાપરની ઓળખ થયેલ. બાજુમાંથી ઝેરી દવાની બોટલ મળી આવતા તેણે આપઘાત કર્યાની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. (પ-૧પ)

(12:32 pm IST)