Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

મેંદરડા-જૂનાગઢ રોડ પર ઓઝતના પુલની તૂટેલી રેલીંગ જોખમી

રાજકોટઃ જૂનાગઢ-મેંદરડા બાયપાસ પર મહોબતપુર અને રાયપુર વચ્ચે સોનારડીના કાંઠે આવેલ ઓઝત નદી પરના પુલની રેલીંગ વચ્ચેથી તૂટી જતા અત્યંત જોખમી બની ગયેલ છે. કોઇ વાહનને સામાન્ય ઠોકર લાગે કે વાહન ચાલક ધ્યાન ચૂકી જાય તો વાહન ઉંચા પુલ પરથી સીધુ નીચે ખાબકીને ભયંકર અકસ્માત સર્જાય તેવુ જોખમ છે. જૂનાગઢ-મેંદરડા વચ્ચે દરરોજ સેંકડો નાના-મોટા વાહનોની અવર જવર થાય છે. લાંબા સમયથી આ સ્થિતિ હોવા છતા સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધ્યાન નહિ પડતુ હોય કે રસ નહિ પડતો હોય ? તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. તૂટેલી રેલીંગના કારણે કોઇ અનિચ્છનીય ઘટના બને તે પૂર્વે શાસકો જાગે તેવી લોકલાગણી છે.

(11:36 am IST)