Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

જેતપુરનાં કારખાનેદારનો વ્યાજખોરોનાં ત્રાસથી આપઘાતનો પ્રયાસ

મેંદરડા પોલીસમાં ૪ શખ્સો સામે ફરિયાદ

જૂનાગઢ તા. ૬: જેતપુરનાં કારખાનેદારે વ્યાજખોરોનાં ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવછાનું જાણવા મળેલ છે.

આ અંગેની વિગતો એવી છે કે જેતપુર રહેતા કારખાનેદાર હિરેન વિનોદભાઇ મકવાણા (ઉ.વ. ૪૦) એ કૌશિક ગોંડલીયા વગેરે પાસેથી વ્યાજે નાણાં લીધા હતા અને વ્યાજનું વ્યાજ સહિત મુદલ પરત કરી દીધું હતું.

આમ છતાં વધુ પૈસા કઢાવવા હિરેન મકવાણાને તેનાં કારખાને લઇ ધમકી આપી હતી.

દરમ્યાન હિરેનભાઇ કામસર મેંદરડા ગયા હતા જયાં કૌશિક ગોંડલીયા, રજુ ગોંડલીયા અને વિનુ ગોંડલીયાનાં પુત્ર સહિત ૪ શખ્સોએ પાછળ પહોંચીને માર માર્યો હતો.

આમ વ્યાજખોરોનાં ત્રાસથી હિરેન મકવાણાએ ફિનાઇલ ગટગટાવીને આપઘાતની કોશિષ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)