Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

સાવરકુંડલા ગરીબોના બેલી અને દાતા હનીફભાઈ શેખાણીએ રોકડનું દાન કર્યુ

સાવરકુંડલાઃ પવિત્ર રમજાન શરીફ એટલે ઈબાદત બદગી અને સખાવત કરવાનો માસ કહેવાય આ રમજાનમાં ઈબાદત કરવા થી અગિયાર માસના ગુન્હા ધોવાઈ જાય છે એવી રીતે રમજાન માસમાં જે દાન પુન કરવામાં આવે છે તેમ એકના સિત્તેર ગણા અલ્લાહ આપવા બંધાયેલ છે. ત્યાંરે ગરીબોના હમદર્દ અને ગરીબ અને જરૂરિયાતમંદોને રોકડ અને ચીજ વસ્તુઓની સહાય કરનાર હનીફભાઈ શેખાણીએ રમજાન મહિનામાં ગરીબોને રોકડ રકમની સહાય કરી રહ્યા છે. દરેક તહેવાર હોય પણ ગરીબ માણસો પોતાની રીતે તહેવાર ઉજવશે એ રીતે સહાય કરે છે.(તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)

(1:04 pm IST)